રજૂઆતની એક રીત
શું ગુજરી ગયેલા ફરી જીવતા થઈ શકે? (T-35)
સવાલ: દુનિયા ફરતે ઘણા લોકો મરણ પામેલા લોકો માટે દર વર્ષે શ્રાદ્ધ રાખે છે. તમને શું લાગે છે, મરણ પામેલા સ્નેહીજનોને આપણે ફરી મળી શકીશું?
શાસ્ત્રવચન: પ્રેકા ૨૪:૧૫
આમ કહો: ગુજરી ગયેલાઓને મરણમાંથી ઉઠાડવામાં આવશે. આ પત્રિકા જણાવે છે કે, એ આશા આપણને કઈ રીતે અસર કરે છે. [શક્ય હોય તો, ગુજરી ગયેલાઓ માટે કઈ આશા છે? વીડિયો બતાવો]
સત્ય શીખવો
સવાલ: ઈશ્વર માટે પ્રેમ કઈ રીતે બતાવી શકીએ?
શાસ્ત્રવચન: ૧યો ૫:૩
સત્ય: ઈશ્વરની આજ્ઞાઓ પાળીને તેમના માટે પ્રેમ બતાવી શકીએ છીએ.
શું ગુજરી ગયેલા ફરી જીવતા થઈ શકે? (T-35)
સવાલ: મનુષ્યનું જીવન ૭૦ કે ૮૦ વર્ષનું છે. પણ, અમુક કાચબા ૧૫૦ વર્ષ જીવે છે અને અમુક વૃક્ષો હજારો વર્ષ જીવે છે. તો પછી, મનુષ્યનું જીવન કેમ આટલું ટૂંકું છે?
શાસ્ત્રવચન: ઉત ૩:૧૭-૧૯
આમ કહો: આ પત્રિકા સમજાવે છે કે મરણ પામેલા લોકો માટે કઈ આશા છે.
રજૂઆત તમારા શબ્દોમાં
ઉપર આપેલા દાખલા પ્રમાણે જાતે જ પ્રચારની રજૂઆત તૈયાર કરો.